અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આગામી અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે યોજાનાર ૪૨મી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામને સાથે નગરયાત્રાએ નિકળશે ભક્તો દશૅન કરી ધન્યતા અનુભવશે આ રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે પૌરાણિક બાલકનાથજી મંદિરમાં રથયાત્રાના રથને કાઢીને સાફ સુઠરો કરવામાં આવેલ તેને રંગ રોગાન કરી પૈડાઓને રીપેર કરી કાયૅરત કરવામાં આવેલ

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
અને રથને શણગાર સજી સુશોભિત કરવામાં આવેલમોડાસા રથયાત્રા સમિતિના પ્રમુખ દિલીપ ભાવસાર મંત્રી ભરત ભાવસાર જયેશ ભાવસાર અતુલ ભાવસાર રાજુ ભાવસાર આ પ્રસંગે હાજર રહેલ હતા. આગામી રથયાત્રામાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરિક જિલ્લા પોલીસવડા શૈફાલી બરવાલ પૂર્વ ડીવાયએસ પી કે ,જે, ચૌધરી દેવરાજ ધામના મહંત ધનગીરીબાપુ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે આ રથયાત્રામાં સાથે સાધુ-સંતો મહંતો વિવિધ ભજન મંડળીઓ રહ્યો જુદા જુદા પ્રદેશની વિવિધ વેશભૂષામાંઝાંખીઓ યોગ ટેબ્લો વાજીત્ર સાથેના અખાડા મેજિક શો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રથયાત્રાના દર્શનાર્થે સમગ્ર અરવલ્લી જિલ્લા અંતરિયાળ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
અરવલ્લી : મોડાસાની અક્ષર નર્સિંગ કોલેજમાં જાતિય સતામણી અધિનિયમ શિબિર યોજાઈ
શ્રી ગાત્રેશ્વરી વિદ્યાવિહાર માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ