ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભૂમિમાં શૈક્ષણિક સંકુલ વર્ષોથી કાર્યરત છે. શિક્ષણ, સંસ્કાર, સેવા, શિસ્ત અને સમર્પણ ભાવથી શુભ કાર્ય કરતી શ્રી નવજીવન વિદ્યાલયમાં તા.૧૯મી જુનના રોજ વિશ્વ સિકલ સેલ અનેમીયા દિવસની ઉજવણી યોજાઈ હતી.

ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
ટોરડા P.H.C સેન્ટરના ડો. શિરીષભાઈએ જણાવાયું કે, શું છે સિકલ સેલ એનિમિયા ? તેની પ્રાથમિક માહિતી, આપણા વિસ્તારમાં રોગનું પ્રમાણ, લક્ષણો, સારવાર માટે શું કરી શકાય, તેની વિસ્તૃત માહિતી આપી હતી. ટોરડા હાઈસ્કુલના આચાર્ય પિનાકીન એન. પટેલે સિકલ સેલ વારસામાં કેવી રીતે ઉતરી આવે છે અને અભિગમ બદલીને સિકલ સેલ એનિમિયા ને રોકવાની હાકલ સાથે આરોગ્ય ટીમ અને ટોરડા P.H.C સેન્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો.
By The Press Solution
BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પથારીવશ દર્દીને હોસ્પિટલ બેડ અને કુલર આપી માનવતા મહેકાવી
25 જૂન બાદ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ભેળસેળવાળો દારૂ પીવાથી 25 લોકોના મોત