અરવલ્લી અને સાબરકાંઠા ગ્રુપના સીઈઓ ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ હિંમતનગરના ઓનર ભુપેન્દ્રસિંહ ઝાલાની છાપ છેલ્લા કેટલાક મહિનાઓથી સામાજિક કાર્યકર તરીકે ઉપસી આવી છે તેઓએ નાની વયે ભામાશા દાનવીર તરીકેની પ્રતિષ્ઠા મેળવેલ છે. તાજેતરમાં ગરીબ દીકરીઓ માટે મોટી સંખ્યામાં જોડાયેલા યુગલો માટે સમૂહ લગ્નનું સુંદર અને બેજોડ આયોજન કરેલ તેઓએ તેમના ત્રીસમા જન્મદિન પ્રસંગે આગામી સમયમાં 200 લોકો માટે નવીન મકાનો આપવાની જાહેરાત કરી તેઓના વ્યક્તિત્વનો પરિચય આપી દીધો હતો.


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફગોડીયા ગામમાં છેલ્લા ૧૨ વર્ષથી જીઇબીમાં નોકરી કરતા તાજેતરમા નોકરી દરમિયાન અકસ્માત થતા તેઓ પથારીવશ બનેલ હતા તેવા ભાનુભાઈ સોમાભાઈને રૂબરૂ મળીને ખબર અંતર પછી હોસ્પિટલ બેડ અને બીજેડ કંપનીનુકુલર તાત્કાલિક આપી તેઓ આરામદાયક સ્થિતિમાં આ કાળજાળ ગરમીમાં ઘરમાં રહી શકે તે માટે પરિવારજનોને મદદના ભાગરૂપે આપેલ.
બીજેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાનો સદસ્યો અને ગ્રામજનોગળગળા થઈ ગયેલ તેઓનોઆભાર માની આશીર્વાદ આપ્યા હતા. બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ના આ માનવતાવાદી કાર્યની સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લામાં ચોમેર થી પ્રશંસા થઈ રહી છે.