- TET- TAT પાસ ઉમેદવાર શિક્ષકોની ત્રણ જ મહિનામાં થશે ભરતી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
- TET- TAT પાસ ઉમેદવારોની મોટી જીત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.

ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. રાજય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવાની નીતિના પગલે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગઈકાલે ગાંધીનગરમાં મહા આંદોલન કરતાં આખો દિવસ પોલીસ ચારે દિશામાં દોડતી થઇ ગઈ હતી. તો આજે પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં ઘુસી જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
માણસા સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડથી આપવામાં આવી રહ્યું છે શિક્ષણ