Sunday, June 8, 2025
spot_img
HomeGujaratબકરા ઈદ પૂર્વે મોડાસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બકરા ઈદ પૂર્વે મોડાસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

યોગેશ શાહ, મોડાસા: આગામી ૭ જૂનના રોજ આવનારા બકરા ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના એએસપી સંજયભાઈ કેશવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મોડાસા ટાઉન પી.આઈ. એ.બી. ચૌધરી અને અન્ય પીએસઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ તરફથી ખાસ સૂચના આપવામાં આવી હતી કે, ગાય કે ગાયના વંશજોની કોઈપણ વ્યક્તિ દ્વારા કતલ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ગાયના નામે વાહનો રોકીને મારઝૂડ કરતા તત્વોને પણ ચેતવણી આપવામાં આવી હતી કે, આવી કોઈ હરકત કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે. પશુ ભરીને જતા વાહનોનું ચેકિંગ કરવાની જવાબદારી પોલીસની છે, અને કોઈએ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવો નહીં.

બેઠકમાં વધુમાં જણાવાયું હતું કે, કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવું કોઈ કૃત્ય કરવું નહીં. આ બેઠકમાં રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શાંતિ અને સદભાવ જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x