Sunday, June 8, 2025
spot_img
HomeGujaratમોડાસામાં પુણ્યશ્લોક અહલ્યાબાઈની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે 'પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી' કાર્યક્રમ યોજાયો

મોડાસામાં પુણ્યશ્લોક અહલ્યાબાઈની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ‘પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી’ કાર્યક્રમ યોજાયો

યોગેશ શાહ, મોડાસા: પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે મોડાસામાં એક ભવ્ય ‘પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોમનાથ મહાદેવ મંદિર, રામપાર્ક સોસાયટી ખાતે યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા કિસાન મોરચો ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લા અને મંડળના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ ‘પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી’ માં સિનિયર કાર્યકર્તાઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, ડોકટરો, વકીલો, પ્રોફેસરો અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પુણ્યશ્લોક અહલ્યાબાઈના જીવન અને કાર્યોને યાદ કરવા તથા તેમના વિચારોનું આદાનપ્રદાન કરવા માટેનું એક પ્રેરણાદાયી મંચ બન્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x