યોગેશ શાહ, મોડાસા: મોડાસાની પ્રતિષ્ઠિત અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળીના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળીના ચેરમેન હરેશભાઈ એન. પટેલના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સનાતન હિંદુ ધર્મ આચાર્ય પરિષદના મહાસચિવ ડોક્ટર સ્વામી ગૌરાંગ ચરણ દેવાચાર્યજી, તેમજ સાબરકાંઠા અને અરવલ્લી ખેતી બેંકના ચેરમેન અને ભોજન દાતા ફલજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના ડિરેક્ટર્સ, સભાસદ ભાઈઓ-બહેનો અને અન્ય આમંત્રિત મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમ શોભાયમાન બન્યો હતો. મંડળીના ચેરમેન હરેશભાઈએ આ પ્રસંગે મંડળીની છેલ્લા ૨૫ વર્ષની પ્રગતિનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. આ મહોત્સવ મંડળીની સફળતા અને સભાસદોના વિશ્વાસનું પ્રતિક બન્યો હતો.