Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસા ખાતે ભગવાન પરશુરામની આરતીનો કાર્યક્રમ યોજાયો

માણસા ખાતે ભગવાન પરશુરામની આરતીનો કાર્યક્રમ યોજાયો

માણસા તાલુકા પંચાયત કચેરી પાસે ભગવાન પરશુરામની ભવ્ય આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. માણસા શહેરમાં ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની આરતીના કાર્યક્રમનું સાંજે 6 કલાકે આયોજન કરાયું હતું.

સૌપ્રથમ ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરી ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. જેમાં જય જય પરશુરામના નારા લાગ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ અગ્રણી દિનેશભાઈ વ્યાસ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષાના પ્રમુખ મોતીભાઈ પુરોહિત, ડો. તુષારભાઈ જાની, યોગેશભાઈ રાવલ અને હિતેશભાઈ રાવલ, વિધાનસભા વિસ્તારક મહેશભાઈ, વિનોદભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x