જુનાગઢ
ગીર નેશનલ પાર્ક આગામી 16મી જૂનથી ૪ મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. ગીર નેશનલ પાર્ક એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર છે. સિંહોના સંવનનકાળ દરમિયાન દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. ગીર નેશનલ પાર્કમાં 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી સિંહોનો સંવનનકાળ હોવાથી 4 મહિના ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ રહેશે.
આ ચોમાસાની સિઝનમાં સિંહ, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમા 4 મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન પાર્કમાં વાહનોના તમામ રૂટ બંધ રહોશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. આ ચાર માહિનાનું વેકેશન 16મી ઓક્ટોબરના રોજ પુર્ણ થશે. આ ચાર મહિનાના વેકેશન દરમિયાન સાસણમાં ધંધા-રોજગારને મોટી અસર થશે.
