મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિરામની હકારાત્મક અસર આજે સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં લગભગ 2000 પોઈન્ટનો જંગી ઉછાળો આવ્યો, જે 79454.47ના બંધ સામે 81470.01 પર ખુલ્યો. નિફ્ટી પણ 24008.00ના સ્તરથી વધીને 24607.70 પર ખૂલી, જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો. એશિયન બજારોના સારા પ્રદર્શન અને અગ્રણી કંપનીઓના શેરમાં આવેલી તેજીએ બજારના ઉત્સાહમાં વધારો કર્યો.
