રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર સરાગાંવ પાસે ગત રાત્રે ટ્રક અને ટ્રેલરની ભીષણ ટક્કરમાં 13 લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 9 મહિલાઓ, 2 બાળકીઓ, એક કિશોર અને એક છ મહિનાનું બાળક સામેલ છે. તેઓ એક નવજાત બાળકની છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને ચટૌદ ગામ પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
