માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે (પ્રેરક – નાયબ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ) ટાઉનહોલ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં પટેલ દિલીપકુમાર બેચરભાઈ બી.આર.સી.કો. ઓર્ડીનેટર દહેગામ, જીલ્લો ગાંધીનગરને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. એમ. કે. મહેતા, GCERTના સચિવશ્રી ડૉ. એસ. જે. ડુમરાળીયા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી મીરાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહેલ. દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર દહેગામ તાલુકાની શાળાઓ પર્યાવરણ સંરક્ષણ માટે ઉત્કૃષ્ઠ કામગીરી થઈ રહી છે.
