Sunday, June 8, 2025
spot_img
HomeIndiaપહલગામ આતંકી હુમલા પર શ્રી શ્રી રવિશંકરે નિંદા સાથે પીડિતો માટે દુ:ખ...

પહલગામ આતંકી હુમલા પર શ્રી શ્રી રવિશંકરે નિંદા સાથે પીડિતો માટે દુ:ખ વ્યક્ત કર્યું

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ સખત શબ્દોમાં નિંદા કરી છે. આ ઘટનાથી દેશ અને દુનિયાભરમાં આક્રોશની લાગણી ફેલાયેલી છે.

ગુરુદેવે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, “અમે પહલગામમાં થયેલી દુઃખદ ઘટનાથી ખૂબ જ શોકમાં છીએ. આ દુઃખની ઘડીમાં, અમારી સહાનુભૂતિ પીડિતો, તેમના પરિવારજનો અને આ નિર્દય હિંસાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. આવા સમયે શબ્દો ખૂટી પડે છે, પણ આપણા સૌની સામૂહિક ચેતનાની શક્તિ આ દુઃખમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન ગુરુદેવના માર્ગદર્શન હેઠળ આ પ્રદેશમાં શાંતિ અને સુમેળ સ્થાપિત કરવા માટે ઘણા સમયથી કાર્યરત છે. ગુરુદેવે આ દુઃખદ સમયે શાંતિ, પ્રાર્થના અને એકતાનો સંદેશ આપતા કહ્યું કે, “આપણે સહુ મળીને ઘૃણાના વિરોધમાં ઊભા થઈએ અને માનવતાના અવાજને વધુ મજબૂત બનાવીએ.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x