Sunday, June 8, 2025
spot_img
HomeIndiaઆતંકીઓને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે: પીએમ મોદી

આતંકીઓને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે: પીએમ મોદી

પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં આયોજિત સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે અને પીડિત પરિવારો સાથે ઉભો છે. પીએમ મોદીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “દેશના દુશ્મનોએ ફક્ત નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ નહિ, ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે.” તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે, “જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમણે તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.” પીએમ મોદીએ આતંકવાદીઓની “બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો” સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x