તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત છે. કોર્ટે રાજ્યપાલ આરએન રવિના નિર્ણયને ફગાવી દીધો, જેમણે ડીએમકે સરકાર દ્વારા પસાર કરાયેલા 10 બિલને મંજૂરી આપી ન હતી. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’ નો અધિકાર નથી એમ સ્પષ્ટ કર્યું છે. જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય, તો તેમણે સંબંધિત રાજ્યને કારણો જણાવવા જોઈએ.
