સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખાનગી શાળાઓની મોંઘી ફી પોસાય તેમ ન હોવાથી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરવા માટે લાંબી કતારો લગાવી રહ્યા છે. અમરોલીની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં 500 સીટ માટે 5000થી વધુ વાલીઓએ ફોર્મ ભર્યા છે. સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સારી સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું હોવાથી વાલીઓનો વિશ્વાસ વધ્યો છે.
