Sunday, June 8, 2025
spot_img
HomeGujarat"સલામત ડ્રાઈવિંગ – સુરક્ષિત જીવન": દહેગામમાં રેડિયમ રિફ્લેક્ટરનું મહત્વ સમજાવતું અભિયાન

“સલામત ડ્રાઈવિંગ – સુરક્ષિત જીવન”: દહેગામમાં રેડિયમ રિફ્લેક્ટરનું મહત્વ સમજાવતું અભિયાન

ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા દહેગામ APMC ખાતે આયોજિત “રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇન” માનનીય ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક સંપન્ન થયું. રોડ સેફટી કમિશનર એસ. એ. પટેલ અને આઈ.જી. મનોજ નીનામાની ઉપસ્થિતિમાં વાહનચાલકો અને જાહેર જનતામાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો હેતુ સિદ્ધ થયો.કાર્યક્રમ દરમિયાન રાત્રિના સમયે દૃશ્યતા વધારવા માટે વાહનો પર રેડિયમ ટેપ લગાવવામાં આવી અને “સલામત ડ્રાઈવિંગ – સુરક્ષિત જીવન” નો સંદેશ ફેલાવવામાં આવ્યો. એસ. એ. પટેલે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આઈ.જી. મનોજ નીનામાએ માર્ગ અકસ્માતોના આંકડા જણાવી જાગૃતિનું મહત્વ સમજાવ્યું. ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પણ પોતાના વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.દેસાઈ, નગર પાલિકા પ્રમુખ વૈશાલીબેન, ચીફ ઓફીસર ઉર્વશીબેન, APMC સેક્રેટરી નીલેશભાઈ પટેલ, ડિરેક્ટર નંદુભાઈ પટેલ અને વ્યાપારી મહામંડળ પ્રમુખ પંકજ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને વાહનચાલકોએ ભાગ લીધો હતો. એક અઠવાડિયા સુધી ચાલેલા આ અભિયાનમાં APMC ખાતે આવનાર અનેક વાહનો પર રેડિયમ ટેપ લગાવવામાં આવી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x