નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ઝાડ કાપવું એ માણસની હત્યાથી પણ મોટો ગુનો છે. કોર્ટે તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ગેરકાયદેસર રીતે 454 વૃક્ષો કાપનારા શિવશંકર અગ્રવાલને દરેક વૃક્ષ દીઠ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે આ અવલોકન કર્યું હતું અને દંડ ઘટાડવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે હરિયાળો વિસ્તાર ફરીથી બનાવવામાં 100 વર્ષ લાગશે.
