ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેએ બદલાતી ઋતુ અને ગરમીમાં નાગરિકોને પોતાના અને પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જણાવ્યું છે. ગ્લોબલ વોર્મિંગથી બેવડી ઋતુમાં ખાવાપીવામાં બેદરકારીથી શરદી, ઉધરસ, ડીહાઈડ્રેશન અને ચામડીના રોગો થઈ શકે છે. ગરમીથી બચવા આછા કપડાં પહેરો, વધુ પાણી પીઓ, હળવો ખોરાક લો અને તડકામાં બિનજરૂરી બહાર જવાનું ટાળો. તરસ લાગે તે પહેલાં પાણી પીવું, ફળો અને શાકભાજી વધુ ખાવા તેમજ મસાલેદાર અને તળેલા ખોરાક ટાળવા. સવારે 10:30 થી સાંજે 5:30 સુધી બહાર જવાનું ટાળો. કલેક્ટરે તમામ નાગરિકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
