યોગેશ શાહ મોડાસા: વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો”ની થીમ સાથે, જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી દ્વારા મોડાસા ખાતે એક વિશેષ સફાઈ સંદેશ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ ૦૫ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે ચાર રસ્તા પોલીસ ચોકીથી શરૂ થઈ, આઈ.ટી.આઈ., માલપુર રોડ, મોડાસા સુધી યોજાયો આ પહેલનો ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વૈશ્વિક સ્તરે એક ગંભીર સમસ્યા બની છે, જે જમીન, જળ અને જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને પર્યાવરણ સંરક્ષણની પહેલને અનુરૂપ, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ સહભાગી થશે. આ રેલી દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને રિસાયક્લિંગ, પુનઃઉપયોગ તેમજ જૈવિક વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો સંદેશો આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે બેનરો, પોસ્ટરો અને નારાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું, રેલી દરમિયાન સ્થાનિક વિસ્તારોમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું,જેમાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનું યોગ્ય નિકાલ કરવામાં આવ્યો, આ ઉપરાંત, રેલીમાં સહભાગીઓને પ્લાસ્ટિકના ઉપયોગને બદલે કાપડની થેલીઓ, લાકડાના કે બાયોડિગ્રેડેબલ ઉત્પાદનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાંઆવ્યું.
જિલ્લાવિકાઅધિકારશ્રીએ જણાવ્યું કે, આ પદયાત્રા અને સફાઈ સંદેશ રેલી દ્વારા મોડાસાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. તેમણે સર્વે નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈને પર્યાવરણ સંરક્ષણના આ યજ્ઞમાં યોગદાન આપવા અપીલ કરી છે. આ રેલી એવી શરૂઆત છે જે લોકોને રોજિંદા જીવનમાં પર્યાવરણલક્ષી ટેવો અપનાવવા પ્રેરશે.