Friday, July 4, 2025
spot_img
HomeIndiaકેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? જાણો..

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? જાણો..

કેદારનાથ ધામમાં હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવો કે નહીં તે મુદ્દે હાલમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે એવો દાવો કર્યો છે કે રાજ્ય સરકાર હિંદુ સિવાયના અન્ય ધર્મના લોકોને કેદારનાથમાં પ્રવેશ ન આપવાની તૈયારી કરી રહી છે. તેમનો તર્ક એવો છે કે કેટલાક બિન-હિંદુ લોકો ધાર્મિક સ્થળોએ માંસ, માછલી અને દારૂનું વેચાણ કરે છે, જેના કારણે ધાર્મિક સ્થળોની પવિત્રતા જોખમાય છે.

તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ પ્રદેશ પ્રભારી સૌરભ બહુગુણાએ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે બિન-હિંદુ લોકો કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી આવા લોકોની ઓળખ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

જો કે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે આ દાવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે કેદારનાથ શિવ ભૂમિ છે અને અહીં દરેક ધર્મના લોકોને આવવાનો અધિકાર છે. તેમણે ભાજપના નેતાઓ પર સનસનાટી ફેલાવવાનો અને ચર્ચામાં રહેવાનો આરોપ લગાવ્યો છે. તેમના મતે, અન્ય ધર્મના લોકો પણ ધાર્મિક સ્થળોનું સન્માન કરે છે અને જો કોઈ સ્થળને અપવિત્ર કરવાનો પ્રયાસ કરે તો તેને રોકવાની જવાબદારી સરકારની છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x