ગુજરાતમાં ધૂળેટીની ઉજવણી દરમિયાન અકસ્માતો વધ્યા હોવાની વિગતો સામે આવી છે, 108 એમ્બ્યુલન્સને કુલ 3485 કૉલ મળ્યા હતા, જેમાં 715 માર્ગ અકસ્માતના નોંધાયા હતા. અમદાવાદ-સુરતમાં સૌથી વધુ અકસ્માત નોંધાયા હતા, જ્યારે દાહોદમાં નર્સે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો.
સામાન્ય દિવસો કરતાં અકસ્માતો વધ્યા હતા, પરંતુ કુલ કૉલમાં ઘટાડો થયો હતો. ધૂળેટીની ઉજવણી દરમિયાન અકસ્માતોમાં વધારો થતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. આ સામે દરમિયાન 108 ઈમરજન્સી સેવાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
