ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થયા બાદ ગરમીનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉનાળાની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ હાલમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને થોડી રાહત મળી છે.
