Monday, June 9, 2025
spot_img
HomeGujaratસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકરો નિરુત્સાહ થતાં નેતાઓની ચિંતા વધી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકરો નિરુત્સાહ થતાં નેતાઓની ચિંતા વધી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયુ છે. જો કે ભાજપ અને કોંગ્રેસે મૂરતિયા પસંદ કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. 30મી સુધીમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે ત્યારે હજુ ચૂંટણીનો માહોલ ઠંડોગાર જોવા મળી રહ્યો છે જેથી પ્રદેશ નેતાઓની ચિંતા વધી છે. ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે. અત્યારે તો જૂથવાદના ડરથી ભાજપે નવા સંગઠનની રચના પર જ બ્રેક મારી દીધી છે. જીલ્લા-શહેર પ્રમુખપદનું ગાજર લટકાવી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા નક્કી કર્યુ છે. હાલ ‘સારા નહીં પણ મારા’ કહી શકાય એવા લોકોને ભાજપ પ્રદેશ સંગઠનમાં ગોઠવવા જાણે હોડ જામી છે. આ કારણોસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પ્રદેશ પ્રમુખ પાટીલના વડપણ હેઠળ લડાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયુ છે ત્યારે પ્રથમ તબક્કામાં અપક્ષો જ ઉમેદવારી નોંધાવે તેમ છે. ભાજપ-કોંગ્રેસની ઉમેદવારો પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે. તા. 29-30એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે જેમાં ઉમેદવાર પસંદ કરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x