Sunday, June 8, 2025
spot_img
HomeTop Newsમહાકુંભમાં નાસભાગ થતાં 14ના મોત, ટ્રેનો કરાઇ ડાયવર્ટ

મહાકુંભમાં નાસભાગ થતાં 14ના મોત, ટ્રેનો કરાઇ ડાયવર્ટ

મહા કુંભના બીજા અમૃત સ્નાન ઉત્સવ પહેલા થયેલ નાસભાગમાં 14 લોકોના મોતની આશંકા છે. ત્યારે આજે મૌની અમાવસ્યાના કારણે સંગમ વિસ્તારમાં ભક્તોની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આજના દિવસે 10 કરોડ ભક્તોના આવવાની આશંકા છે. જોકે સમગ્ર ઘટનાને લઇ પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાતચીત કરીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. મહા કુંભમાં સંગમ સ્થળ પર નાસભાગ બાદ આજનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યું છે. અખાડા પરિષદે આ નિર્ણય લીધો છે. મેળા પ્રશાસને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્રપુરીને અખાડાઓમાં અમૃત સ્નાન રોકવાની અપીલ કરી હતી, ત્યાર બાદ આ અમૃતસ્નાન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી શ્રી નિરંજની અચાનક રડવા લાગ્યા
મહાકુંભમાં નાસભાગ થતાં 14ના મોત, ટ્રેનો કરાઇ ડાયવર્ટ https://vhsnews.in/?p=4749
અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી શ્રી નિરંજની અચાનક રડવા લાગ્યા. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે પહેલાથી જ કહ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવી જોઈએ પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. કુંભ વહીવટી તંત્ર દ્વારા દૂષિત હતો. આ વાત આવે ત્યારે ભીડને સંભાળવાનું કામ પોલીસનું નથી. આનું પરિણામ એ આવ્યું કે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે, મારું હૃદય ખૂબ જ દુઃખી છે.

કુંભ મેળાની ખાસ ટ્રેનોને જ રોકવામાં આવી
મહાકુંભમાં નાસભાગ થતાં 14ના મોત, ટ્રેનો કરાઇ ડાયવર્ટ https://vhsnews.in/?p=4749
મહાકુંભમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહા કુંભ મેળાની વિશેષ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. વિવિધ રૂટ પર દોડતી કુંભ મેળાની ખાસ ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x