Monday, June 9, 2025
spot_img
HomeNews*સાળી સમાજ યુવા ચેરીટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ સુરત* પ્રખરવકતા ડો સંતોષ દેવકર

*સાળી સમાજ યુવા ચેરીટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ સુરત* પ્રખરવકતા ડો સંતોષ દેવકર

*સાળી સમાજ યુવા ચેરીટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ સુરત*ની શિક્ષક પાંખ દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને પ્રેરક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું.ગુજરાતના કેળવણી કાર અને પ્રખર વક્તા ડોક્ટર સંતોષ દેવકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં લેખક તરીકે પાઠ્યપુસ્તકોના લેખક તરીકે અને 18 પુસ્તકોના મોટીવેશનલ 18 પુસ્તકોના લેખક અને ગાંધીનગર મેટ્રોના કોલમિસ્ટ ડોક્ટર સંતોષ દેવકરે વાલીઓ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટના હોદ્દેદારો સાથે પ્રેરક વિચાર ગોષ્ઠી કરી હતી.સાળી સમાજ યુવા સંગઠન સુરત દ્વારા સમાજના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો થતા હોય છે.યુવા સંગઠનની શિક્ષણ પાંખ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા ડોક્ટર સંતોષ દેવકરે જણાવ્યું હતું કે ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે જ્યાં સુધી વરસાદ નથી આવતો ત્યાં સુધી નૃત્ય ચાલુ જ રહેશે તેમ જ્યાં સુધી સક્સેસ મળતું નથી ત્યાં સુધી મહેનત ચાલુ જ રહેશે.જે વિદ્યાર્થીઓ પોતાના મા બાપને અને પોતાની જાતને છેતરતા નથી તેઓ હંમેશા પ્રગતિ સાધતા હોય છે. તેમણે વિદ્યાર્થીઓના મોબાઈલ વાપરવા ઉપર પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોબાઇલની જરૂર રહેતી નથી. 16 થી 25 વર્ષની ઉંમરે જ મહેનત કરવાની અને કંઈક બનવાની ઉંમર છે ત્યાર પછીનું બધું નકામું સાબિત થતું હોય છે.યુવા સંગઠનના પ્રમુખ મયુરભાઈ મૂળકુટે રાજેન્દ્રભાઈ રાજેશભાઈ ભીંગારે રૂપેશભાઈ કિરણ દીવાને દીપક જગતાપ અંકલેશ્વર અંકલેશ કોરડે વિજેતા ધરમ ,રાહુલ લશ્કરે પરેશ ચૌધરી લખન દીવાને નવીન ધુળે રાજેશ મડકે હર્ષદ ચિત્તેવાન સંતોષ ભીંગારે મિલિંદ કાળે હર્ષદ આદમને, કાર્યક્રમને સફળ બનાવવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.ધોરણ 10 ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા ઉપયોગી ગિફ્ટ આપવામાં આવી હતી.વાલીઓ દ્વારા માત્ર પેરેન્ટિંગ લેક્ચર રાખવામાં આવે તેવી માંગ ઉઠી હતી ભવિષ્યમાં પેરેન્ટિંગના લેક્ચર પણ રાખવામાં આવશે તેવી બાહેધરી યુવા સંગઠનના પ્રમુખ મયુરભાઈ મુરકુટે આપી હતી.વિદ્યાર્થીઓમાંથી જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે યાદ રાખવા માટે શું કરવું જોઈએ ટ્રેસ દૂર કરવા માટે શું કરવું જોઈએ વાંચવા માટે સમય મળતો નથી તે માટે શું કરવું જોઈએ પરીક્ષા વખતે શું ખાવું જોઈએ અને મગજને ફ્રેશ રાખવા માટે શું કરવું જોઈએ વગેરે જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી પૂછવામાં આવ્યા હતા જેનો વક્તા ડોક્ટર સંતોષ દેવ કરે ખૂબ જ સંતોષકારક રીતે જવાબો આપ્યા હતા.સૌથી મોટો સવાલ કેન્દ્રસ્થાને રહ્યો હતો કે વિદ્યાર્થીઓ પાસેથી મોબાઇલ છોડાવવા માટે શું કરવું જોઈએ.આજની પેઢી માટે મોબાઈલ એ આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે આપણે મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર તે નિર્ભર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x