Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા શિવપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ના વક્તા મહંત વિષ્ણુ પ્રસાદ મહારાજ શ્રી નું...

મોડાસા શિવપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ના વક્તા મહંત વિષ્ણુ પ્રસાદ મહારાજ શ્રી નું રથયાત્રા સમિતિ મોડાસા દ્વારા સન્માન*

મોડાસા ઐતિહાસિક નગરી શૈક્ષણિક નગરી અને ધર્મપ્રિય નગરી છે મોડાસા પૌરાણિક ઐતિહાસિક વારસો ધરાવનાર છે મોડાસામાં વિવિધ ક્ષેત્રે અભ્યાસ માટે અસંખ્ય કોલેજો આવેલી છે તેથી જ્ઞાનની નગરી પણ કહેવામાં આવે છે અને ધર્મપ્રિય પ્રજા દ્વારા સનાતન ધર્મના વિવિધ કથા મેળાવડા યોજાતા રહે છે
મોડાસામાં હાલ ભાવસાર સમાજ સંચાલિત ઓધારી મંદિર ખાતે શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે આ કથા ના વક્તા કથાકાર પરમ પૂજ્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ ની અમૃતવાણી થી મોડાસાની ધર્મપ્રિય પ્રજાને રસપાન કરાવી રહ્યા છે આ પ્રસંગે મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પરિવાર દ્વારા શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ નું સાલ ઓઢાડી અને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મોડાસા રથયાત્રા સમિતિના પ્રમુખશ્રી દિલીપ ભાવસાર અને તેમની ટીમ ઉપસ્થિત રહેલ હતી
.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x