Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા શિવપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ના વક્તા મહંત વિષ્ણુ પ્રસાદ મહારાજ શ્રી નું...

મોડાસા શિવપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ના વક્તા મહંત વિષ્ણુ પ્રસાદ મહારાજ શ્રી નું જાયન્ટ્સ પરિવાર મોડાસા દ્વારા સન્મા

મોડાસા ઐતિહાસિક નગરી શૈક્ષણિક નગરી અને ધર્મપ્રિય નગરી છે મોડાસા પૌરાણિક ઐતિહાસિક વારસો ધરાવનાર છે મોડાસામાં વિવિધ ક્ષેત્રે અભ્યાસ માટે અસંખ્ય કોલેજો આવેલી છે તેથી જ્ઞાનની નગરી પણ કહેવામાં આવે છે અને ધર્મપ્રિય પ્રજા દ્વારા સનાતન ધર્મના વિવિધ કથા મહાવડા યોજાતા રહે છે
મોડાસામાં હાલ ઓધારી મંદિર ખાતે શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે આ કથા ના વક્તા કથાકાર પરમ પૂજ્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ ની અમૃતવાણી થી મોડાસાની ધર્મપ્રિય પ્રજાને રસપાન કરાવી રહ્યા છે આ પ્રસંગે મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પરિવાર દ્વારા શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ નું સાલ ઓઢાડી અને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર જાયન્ટસ ફાઉન્ડેશન ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર અને પૂર્વ મોડાસા નગરપાલિકા પ્રમુખ વનીતાબેન પટેલ જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ અમિતા સોલંકી મંત્રી છાયાબેન સોની આશાબેન પરમાર મીડિયા ડાયરેક્ટર વિનોદ ભાવસાર ઉપપ્રમુખ મુકુંદ સોની જાયન્ટ્સ પરિવાર મિત્રો જોડાયા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x