Monday, June 9, 2025
spot_img
HomeNews*ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા વિજયનગર તાલુકાના પાલ ગામમાં આદિવાસી આશ્રમ શાળામાં...

*ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા વિજયનગર તાલુકાના પાલ ગામમાં આદિવાસી આશ્રમ શાળામાં સ્નેહ – મિલન કાર્યક્રમ અને નેત્ર નિદાન શિબિર યોજાઈ

*સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પાલ ગામમાંસ્વ. શાંતાબેન ચુનીલાલ નાથજીદાસ શાહની યાદમાં તેમજ સ્વ. સુરેશચંદ્ર ચુનીલાલ શાહની સ્મૃતિમાં વરદ્ હસ્તે – કેતનભાઈ સુરેશચંદ્ર શાહ – પરિવાર, અમદાવાદના સૌજન્યથી સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પાલ ગામમાં મફત નેત્ર નિદાન કેમ્પ, જલારામ હોસ્પિટલ, ભિલોડાના સહયોગથી મફત સુગર, બ્લડ પ્રેશર, નિદાન શ્રી રાજપુર કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળા, પાલ ગામમાં યોજાયેલ હતો.૩૫૦ વધુ દર્દીઓએ આંખોના રોગોની તપાસ કરાવી હતી.મફત ચશ્મા નુ વિતરણ કરવામાં આવ્યું આશરે ૪૫ દર્દીઓને મોતિયો હોય ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા તબક્કાવાર વાત્રક મુકામે હોસ્પિટલમાં લઈ જઈ નિઃશુલ્ક મોતિયા નું ઓપરેશન કરી આપવામાં આવશે, શિબિરમાં આશરે ૧૦૦ થી વધુ દર્દીઓ નું સુગર, બ્લડ પ્રેશર ચેક કરી, આશરે ૨૦૦ થી વધુ દર્દીઓને રાહત દરે નંબરવાળા ચશ્મા આપ્યા હતા.કાર્યક્રમમાં હરેશભાઈ પટેલ – ટ્રસ્ટી, ડો. ગુંજનભાઈ પંડ્યા – જલારામ હોસ્પિટલ, ભિલોડા, જીતકુમાર ત્રિવેદી – પ્રમુખ – જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, ભિલોડા, અતુલકુમાર પટેલ આર. એસ. એસ, ભિલોડા, સુરેશભાઈ પટેલ, જશુભાઈ મીઠાવાલા, ગટુભાઈ પટેલ, દશરથભાઈ પંચાલ, જયંતીભાઈ ભાટિયા, ગિરીશભાઈ – આચાર્ય – આશ્રમ શાળા પાલ, નરોત્તમભાઈ પટેલ સંયોજક – શ્રી ગાયત્રી પરિવાર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા ભિલોડા ઉદય સેવા સંસ્થાન – પ્રમુખ – જીતેન્દ્રકુમાર સી. ભાટિયા, અનિલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સુરજકુમાર પટેલ, રોહિતભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ સોની, સુરેશભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ પ્રજાપતિ, વાત્રક હોસ્પિટલથી શૈલેન્દ્ર આર્યા, ભિલોડા વિઝન સેન્ટર – સ્ટાફ – રાજુભાઈ પટેલ, ગાયત્રીબેન પટેલ, પાલ ગામના સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x