મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અરવલ્લી અને સાબરકાંઠામાં જૂનામાં જૂની અને જાણીતી જે.બી .શાહ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન ની યાદ માં મેથેમેટિક્સ ડેની ગણિત પ્રદર્શન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ શ્રી રામાનુજન ની જન્મતિથિ ની યાદ માં મેથ્સ ડે ની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે .વિદ્યાર્થીઓને ગાણિતિક પ્રવૃત્તિઓના વિવિધ પ્રોજેક્ટ, ગાણિતિક કાર્યશીલ મોડલ,. ચાર્ટ , વગેરે બનાવવા માટે પૂરતો સમય મળે એના અનુસંધાનમાં 31/12/24 ના રોજ નર્સરી થી ધોરણ 8 સુધીના બાળકો માટે ગણિત પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલા ગાણિતિક કૌશલ્યો, સિદ્ધાંતો, ગાણિતિક ક્રિયાઓ વગેરે પ્રદર્શન દ્વારા બહાર લાવવાનો હતો. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ગણિતને લગતા 200 જેટલા પ્રોજેક્ટ અને મોડેલ, ,100 થી વધુ ચાર્ટ, 50 જેટલા ગણિતશાસ્ત્રીઓ ના ફોટા તેમજ તેમના દ્વારા ગણિત વિષયમાં આપેલું યોગદાન ચિત્રકામ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આમ લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓની મહેમાનોનું સ્વાગત , વેલકમ ડાન્સ થી કર્યું હતું. બાળકોને ગણિત વિષયનું મહત્વ સમજાય તે માટે ગણિત વિષયને લગતું એક નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતું.
આ પ્રસંગે મ.લા. ગાંધી ઉચ્ચતર મેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી પ્રમુખ સ્થાને, મુખ્ય મહેમાન તરીકે મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ શાહ, અરવલ્લી જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી
મહેશ્વરીબા વી. રાઠોડ, મંડળના પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતા વગેરે હાજર રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે તેઓએ જીવનમાં ગણિતનું શું મહત્વ છે તેમજ દરેક ક્ષેત્રમાં ગણિત વિષયની જરૂર પડે છે તે બાળકોને સમજાવ્યું હતું, પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકોને બાળકો ગણિત વિષયમાં વધુમાં વધુ રસ લે અને આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે તે માટે આહવાન કર્યું હતું.
બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વાલીઓ માટે પણ ગણિત પ્રદર્શન ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.આ પ્રદર્શનનું સુંદર આયોજન કરવા બદલ મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર. મોદી ,ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ.શાહ, મંત્રી શ્રી પરેશભાઈ બી. મહેતા વગેરેએ પ્રાથમિક વિભાગના આચાર્ય દિપકભાઈ એન. મોદીને, તમામ શિક્ષકોને, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને વગેરેને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં આભાર વિધિ મદદનીશ શિક્ષક હિતેશભાઈ પ્રજાપતિએ કરી હતી.
