શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત અધ્યાપક પ્રો. ડૉ. મનોજભાઇ પી. ગોંગીવાલા એ ખડોદા તારેશ્વર મહાદેવ મંદિર પરિસર માં જરૂરિયાત વાળા બાળકો વાલી મિત્રો સાથે પ્રવચન બાદ જેકેટ્સ, ગ્લુકૉઝ બિસ્કિટસ્ પારલે જી ના પેકેટસ્ નું વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચ, આગેવાનો ની ઉપસ્થિત મા બાળકો એ પોતાની વિવિઘ કોશલય રજૂ કર્યા. સર પી. ટી. સાયન્સ કોલેજ, અનુસ્નાતક કક્ષા ની વિધાર્થીની જાનવી ચૌધરીએ કાર્યક્રમને સફળતા અપાવી. ડૉ. મનોજે ૩૧ લાખ બિસ્કીટસ્ રાજ્ય અને રાજ્ય બહાર પંદર હજાર જેટલા કાર્યક્રમ કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.
