Monday, June 9, 2025
spot_img
HomeNewsભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિદ્યાલયમાં અમૃત મહોત્સવનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિદ્યાલયમાં અમૃત મહોત્સવનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિદ્યાલય પરીસરમાં 75 માં વર્ષમાં મંગલ પ્રવેશ દરમિયાન અમૃત મહોત્સવ નો ભવ્યાતિભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય અતિથિ વિશેષ ભિલોડા – મેઘરજ – ધારાસભ્ય પી.સી.બરંડા, અધ્યક્ષ બી.જી.ડાભી – ભિલોડા મામલતદાર, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, પૂર્વ આચાર્ય એલ.આર.પંડ્યા, રામઅવતાર શર્મા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, ફિરોજભાઈ મકરાણી, સંતો – મહંતો, વિવિધ શાળાઓના આચાર્યો, જન સેવા સંઘ, ભિલોડા – મુંબઈ – પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય, ઉપ પ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી, કારોબારી સભ્યો, પુર્વ શિક્ષકો, આચાર્યો, રાજકીય, સામાજીક આગેવાનો, વેપારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રસંગિક પ્રવચનમાં ધારાસભ્ય પી.સી.બરંડા એ જણાવ્યું કે, સંચાલક મંડળ, હાઈસ્કુલના સર્વાંગી વિકાસ માટે જ્યાં-જ્યાં જરૂરિયાત જણાય ત્યાં સહભાગી થવાની હૈયા-ધારણા આપી સાથે-સાથે ભિલોડા નગરમાં ભવ્ય રેલી નું વિશેષ આયોજન કર્યું હતું.એન.આર.એ વિદ્યાલય – આચાર્ય દિનેશભાઈ બી. ડાભી, શૈક્ષણિક સ્ટાફ પરીવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x