સંસ્કૃતભારતી ગુજરાત ન્યાસ દ્વારા ત્રિવાર્ષિક તૃતિય પ્રાન્તિય સમ્મેલનનું આયોજન તા. ૨૮ અને ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન યોજાનર છે. આ બે દિવસીય સંમેલન નો શુભારંભ તારીખ ૨૮ ડિસેમ્બરે સવારે ૧૦ કલાકે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનદેવાચાર્યજી મહારાજ, અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ તેમજ મુખ્ય વક્તા સંસ્કૃત ભારતીયના અ. ભા. સંગઠન મંત્રી શ્રી જયપ્રકાશ ગૌતમજી અને સમારોહ કાર્યક્રમના અધ્યક્ષ ડો. કૃષ્ણપ્રસાદજી, તથા અ.ભા. ગીતા શિક્ષણ પ્રમુખ શ્રી શિરીષકુમારજી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહયા.
આ કાર્યક્રમની સ્વાગત સમિતિના અધ્યક્ષ સામાજીક કાર્યકર્તા શ્રી રાજેશકુમાર કાનજીભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે ગાંધીનગર મેટ્રો દૈનિકના તંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપરાંત સચિવ તરીકે શ્રી એચ.કે. વાણિજ્ય માહાવિધ્યાલયના પ્રાચાર્ય ડો. આશિષ જનકરાય દવે અને કોષાધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ જોષીની વારણી કરવામાં આવી છે.
ગાંધીનગર મેટ્રોના એડિટર ડો.બીના બહેનનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. બીનાબહેને તેમના હાલ પ્રકાશિત થયેલાં બન્ને પુસ્તક પૂજ્ય. જ્ઞાન દેવજીને અર્પણ કર્યા. અને તેઓની સાથે ત્યાં ગોઠવેલા પ્રદર્શનની મુલાકાત લીધી.
