બાયડ તાલુકા ના નવા પીપોદરા ગામે અતીરુદ્ર માહાયાગ યજ્ઞ ના અતિરુદ્ર મહાયાગ યજ્ઞ ના મુખ્ય યજમાન તરીકે ગુજરાત મિલ્ક ફેડરેશન ના ચેરમેન અને સાબરડેરી ના ચેરમેન શામળ બી પટેલ પરિવાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું જે આજે સમાપન થયોઆજકાલ વેદ અને ઉપનિષદ પર લોકો ને ખૂબ શ્રદ્ધા વધી છે તેની સાથે સાથે ઋષિમીનીઓ જે યજ્ઞ મહાયજ્ઞો કરી ને વિશ્વ કલ્યાણ અર્થે કર્મ સિદ્ધિ પ્રાપ્ત કરતા હતા એ અનુસાર આજે પણ શ્રદ્ધાળુઓ વૈદિક મહાયજ્ઞો કરાવી ને લોક કલ્યાણ અર્થે પોતાની આહુતિ આપતા હોય છે ત્યારે બાયડ ના પીપોદ્રા ગામે અતિરુદ્ર મહાયજ્ઞ તથા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયોબાયડ ના નવા પીપોદ્રા ગામે દ્વાદશ જ્યોતિર્લિંગ ના અધિષ્ટતા દેવાધિદેવ મહદેવ નો ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞ યોજાયો આ યજ્ઞ માં 24 લાખ કરતા વધુ તલ મીશ્રીત ઔષધિઓ સહિત 145 ભૂદેવો દ્વારા યજ્ઞ માં આહુતિઓ આપવામાં આવી,સાથે સાથે દેવી પ્રિય સહસ્ત્ર ચંડીયજ્ઞ પણ યોજાયો જેમાં દુર્ગા સપ્તસતી ના એક હજાર પાઠ કરી અને તેનો દશાંશ હોમ આપવા માં આવ્યો

22 ડિસેમ્બર ના રોજ પ્રારંભ થયેલ આ યજ્ઞ આજે સંપન્ન થયો આ યજ્ઞ ના મુખ્ય યજમાન તરીકે ગુજરાત મિલ્ક ફેડરેશન ના ચેરમેન અને સાબરડેરી ના ચેરમેન શામળ બી પટેલ પરિવાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું આ મહા યજ્ઞ નો હજારો ભક્તો એ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો યજ્ઞ માં મુખ્ય આચાર્ય જલેશ ભટ્ટ ની સાથે 145ભૂદેવો દ્વારા
શામળ પટેલ ( ચેરમેન સાબરડેરી ) ના પરીવાર ના સભ્યો દ્વારા મહા પ્રસાદી સાથે સમાપન થયો હતો