Tuesday, June 10, 2025
spot_img
HomeNews*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસા ખાતે વિશ્વ ધ્યાન દિવસ શિબિર યોજાઈ*

*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસા ખાતે વિશ્વ ધ્યાન દિવસ શિબિર યોજાઈ*

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સેવક ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ઉમિયા મંદિર મોડાસા ખાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 40 સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરાયું હતું સમગ્ર વિશ્વ માટે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશા ની નવી દિશા છે. શિયાળા ની સૌથી લાંબી રાત્રીને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઊર્જાને પુનઃસ્થાપિત કરવા માટે અનુકૂળ હોય છે. આ ધ્યાન શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન. કો. ઓર્ડીનેટર શ્રીમતી પિન્કીબેન મેકવાન, ઝોન કોઓર્ડીનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી, જિલ્લા કોર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ ઉમિયા મંદિર, ઇશ્વરભાઇ ભાવસાર ચામુંડા મંદિર સરડોઈ , પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી, ગાયત્રીબેન ત્રિવેદી વિપશ્યના સાધના કેન્દ્રતેમજ યોગ કોચ રાજેશભાઈ પટેલ, લેઉઆ શકુંતલાબેન, સુનિલભાઈ વાળંદ, પાયલબેન વાળંદ, હિતેન્દ્રભાઈ પંચાલ, પ્રિયંકાબેન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કો.ઓર્ડીનેટર શ્રી જયેન્દ્ર ભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x