મોડાસામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૪ દિવસીય યોગ શિબિર સરસ્વતી બાલ મંદિર રત્નદીપ શાખા ખાતે યોજાઈ ગઈ જેમાં રોજ નવા આસનો યોગ તથા વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ દરમિયાન રોજેરોજ ઓર્ગેનિક જ્યુસ આપવામાં આવતા હતા આસ્થાને નિયમિતપણે નિશુલ્ક યોગ ક્લાસ કાર્યરત છે જેનો નગરમાંથી 40 ની આસપાસ સિનિયર સિટીઝનો તથા પ્રબુદ્ધ નાગરિકો લાભ લે છે જેમાં પ્રો વસંતભાઈ શાહ મણીભાઈ પ્રણામી દ્વારા યોગ ક્લાસ લેવાય છે ડો હરિભાઈ દ્વારા આરોગ્ય તથા જીવનને જરૂરી સુચનાઓ માર્ગદર્શન અપાય છે સમયાંતરે પિકનિક પ્રવાસ ગોઠવાય છે તાજેતરમાં સાકરીયા નજીક અક્ષર નર્સિંગ કોલેજ ખાતે પિકનીક યોજાઈ ગઈ કોલેજ નજીક તળાવની પાળે આસન કસરતો તથા હાસ્યાસનનો સુંદર કાર્યક્રમ રહ્યો. યોગકલાસમાં આવતા અરવલ્લીમાંખ્યાતનામઅક્ષરનર્સિંગકોલેજના સેક્રેટરી ખજાનચી શ્રી પ્રવીણભાઈ એન પટેલ તરફથી તેમના જન્મદિન નિમિત્તે ગરમા ગરમ નાસ્તો સ્વીટ તથાચા કોફીનુ સુંદર આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવેલ જેનો સૌએ આનંદ લીધો હતો ત્યારબાદ નજીક આવેલ પૌરાણિક સાકરીયા હનુમાન મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી સૌ યોગ મિત્રોએ શ્રી પ્રવીણભાઈ પટેલ નો આભાર માન્યો હતો.
