મેઘરજ તાલુકાના રેલ્લાવાળા માર્કેટયાર્ડ ખાતે આત્મા પ્રોજેક્ટ અરવલ્લી દ્વારા પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન કાર્યક્રમ મેઘરજ અને ભિલોડા તાલુકાના ખેડૂત ભાઈઓનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર મુખ્ય મહેમાન ધારાસભ્ય પી.સી.બરંડા અતિથિ વિશેષ જયાબેન મનાત મેઘરજ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિપુલભાઈ પરમાર અરવલ્લી જિલ્લા આત્મા પ્રચારક માલપુરના ભાવેશભાઈ પટેલ ના.ખે નિયામક આર.એસ પટેલ મેઘરજ આત્મા અલ્પેશભાઈ પટેલ ભિલોડા ના બી.ટી.એમ કુલદીપભાઈ પટેલ તેમજ મોડાસા બિટીએમ જીતુભાઈ પંચાલ મનોજભાઈ, નીલાબેન મડિયા.અનિલભાઈ સુવેરા વગેરેની હાજરીમાં અધ્યક્ષ દ્વારા દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું. પ્રાકૃતિક ખેતી જંક ફૂડ ખેતીને બગાડનાર રાસાયણિક ખાતરથી નુકશાન વિશે ખૂબજ ભારપૂર્વક માલપુરના ભાવેશભાઈએ ચર્ચા કરી પ્રાસંગીક પ્રવચનમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિપુલભાઈ પરમાર ,આર.એસ.પટેલ મનોજભાઈ અને લીંબાભાઇ પાંડોર, ખુમાપુરના અશોકભાઈ પટેલ અને ધારાસભ્ય પી.સી બરંડા એ પ્રાકૃતિક કૃષિ ને મહત્વ આપવા સુંદર શિખામણ આપી હતી. આ પ્રસંગે બહેનો દ્વારા નાટક રૂપે પ્રાકૃતિક ખેતી નું મહત્વ સમજાવ્યું હતું. સુંદર કામગીરી કરનાર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરનાર ફાર્મર માસ્ટર ટ્રેનર નું સર્ટિફિકેટ અને સાલથી સન્માન કરવામાં આવેલ. મેઘરાજ ભિલોડા અને અરવલ્લી જિલ્લા ના આત્માના અધિકારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સુંદર સંચાલન નિવૃત્ત શિક્ષક જયેન્દ્રભાઈ પંડ્યાએ સુંદર શૈલીમાં કર્યું. આભારવિધિ આર એસ પટેલ એ કરી બાદ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી.
