” અરવલ્લી જીલ્લા ભારતીય મજદૂર સંઘની પ્રથમ કાર્યકર્તા બેઠક ” ભિલોડા માર્કેટીંગ યાર્ડમાં ભારતીય કિસાન સંઘના મિટિંગ હોલમાં રામજીભાઈ દેસાઈ (પ્રમુખ, એસ.ટી.મજદૂર સંઘ – BMS – હિંમતનગર વિભાગ)ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.મુખ્ય અતિથિ વિશેષ ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ, કાર્યાલય મંત્રી, અરવલ્લી જીલ્લાના પ્રભારી વી.પી.પરમાર, બાબુસિહ ગોહિલ (સંગઠન – મંત્રી – ઉત્તર ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય મજદૂર સંઘના ૭૦ વર્ષની ગૌરવ ગાથા, શ્રમિક સંપર્ક અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં નિધિ એકત્રીકરણ, પંચ પરિવર્તનમાં સ્વદેશી, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, સમરસતા, અને શ્રમિક સંપર્કના સુંદર કાર્યક્રમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સંઘ દ્વારા ચાલતા વિભિન્ન ક્ષેત્રો માંથી સંઘ પરિવારની સાથે સંકળાયેલા, સંઘ વિચાર ધારાને વરેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા હસમુખભાઈ પટેલ, સુરજકુમાર પટેલ, ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા – પુર્વ પ્રમુખ – રામઅવતાર શર્મા, ભારતીય કિસાન સંઘના ભિલોડા તાલુકા પ્રમુખ અમૃતભાઈ પટેલ, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, પ્રમુખ, જીતકુમાર ત્રિવેદી, ઉપ પ્રમુખ સાગરકુમાર જોષી, ભરતભાઈ પ્રજાપતિ, સંજયભાઈ પંચાલ, એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘના કાર્યકર્તાઓ, બાંધકામ સંઘ, એસ. ટી મજદૂર સંઘના પદાધિકારીઓ, ભિલોડા ડેપો – એસ. ટી મજદૂર સંઘના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સુંદર રીતે સફળ બનાવ્યો હતો.ભારતીય કિસાન સંઘ ગુજરાત, પ્રદેશ પ્રતિનિધિ, જીવાભાઈ લટા એ જણાવ્યું કે, બેઠકના આયોજનથી સંઘની સાચી પારિવારિક ભાવના ના દર્શન જોવા મળ્યા હતા.ભિલોડા સનાતન આશ્રમના પરમ પુજય સંતગણ મહાત્મા શ્રી નિર્વેદાનંદ સ્વામીજી, માતાજી પુન્યાબાઈજી ઉપસ્થિત કાર્યકર્તાઓને આશિર્વચન પાઠવ્યા હતા.ભારતીય મજદૂર સંઘ, અરવલ્લી દ્વારા સર્વે કાર્યકર્તાઓને સન્માનિત, પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમનું સંકલન, સફળ સંચાલન જગદીશભાઈ આર. પટેલ ( મહામંત્રી, એસ.ટી મજદૂર સંઘ, હિંમતનગર વિભાગ, ભિલોડા ડેપો) દ્વારા કરવામાં આવ્યું હતું.
