જન સેવા એજ પ્રભુ સેવાના સુત્ર સાથે સંકળાયેલ સેવાભાવી અગ્રેસર સંસ્થાના સર્વે સેવાકીય અનેકવિધ પ્રવૃત્તિઓમાં હંમૈશા કાર્યરત હોદ્દેદારો, કારોબારી સભ્યો અને ભિલોડા જાયન્ટ્સ પિપલ્સફાઉન્ડેશન ધ્વારા આયોજીત ભિલોડા – ઈડરના હાર્દસમા મુખ્ય ધોરીમાર્ગ પર ભિલોડમાં મામલતદાર કચેરી પાસે રીષભ પ્લાઝામાં અદ્યતન સુવિધાસભર ભિલોડાઓર્થોપેડિક હોસ્પિટલમાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો.દર્દીઓ મોટી સંખ્યામાં નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.ન્યુરોપથિકસ્કેનરઅધતનસુવિધાસભર મશીનની મદદથી ચેતાતંતુ ના નિદાન કેમ્પમાં અનેકવિધ દર્દીઓએ મોટીસંખ્યામાં લાભ લીધો હતો.નિ:શુલ્ક નિદાન કેમ્પ ને સફળ બનાવવા ભિલોડા ઓર્થોપેડિક હોસ્પિટલના સેવાભાવી ડો. અભિષેકકુમાર એસ. ગુર્જર, ડો. ધારાબેન એ. ગુર્જર, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીતકુમાર ત્રિવેદી, હોદ્દેદારો રામઅવતાર શર્મા, કલ્પેશભાઈ ચૌહાણ, ભરતભાઈ પ્રજાપતિ, સંજયભાઈ પંચાલ સહિત સેવાભાવી કાર્યકરો, ભિલોડા ઓર્થોપેડિક હોસ્પિટલની સમગ્ર ટીમ ધ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
