Tuesday, June 10, 2025
spot_img
HomeNewsમોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓ દ્વારા ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓ દ્વારા ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ ર. શાહ ની પ્રેરક પ્રેરણાથી મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ અને કલરવ શાળાના સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનો, કર્મચારી ભાઈ-બહેનો દ્વારા ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રીઓ શ્રી પંકજભાઈ બી. બુટાલા અને શ્રી કે.એમ.શાહ  ટ્રસ્ટીશ્રીઓ શ્રી ઓચ્છવભાઈ જી. ગાંધી અને શ્રી કનુભાઈ સી. શાહ, માનદમંત્રી શ્રી કિરીટકુમાર કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના પૂર્વ સુપરવાઈઝર શ્રી ગોરધનભાઈ એચ. સુથાર ઉપસ્થિત રહ્યા હતા. અને મુખ્ય મહેમાન તરીકે શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ (મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અરવલ્લી) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલના સંગીત શિક્ષકશ્રી પી.ડી.બારોટ દ્વારા શ્લોકગાનથી કરવામાં આવી. ત્યારબાદ શ્રીમદ ભગવદગીતાનું પૂજન કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલના શિક્ષક શ્રી જે.એસ.રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યું. શ્રી કે.એન.શાહ હાઇસ્કૂલની વિદ્યાર્થીની કુ. પટેલ વેદા હિતેશભાઈ અને શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલની વિદ્યાર્થીની સોલંકી સાનિયા ચેતનભાઈ અને શિક્ષક પ્રતિનિધિ તરીકે શ્રી કે.વી.પંડ્યા દ્વારા શ્રીમદ ભગવદગીતા પર વક્તવ્ય રજુ કરવામાં આવ્યા. ત્યારબાદ ચાર હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે શ્રીમદ ભગવદગીતાના ૧૫ માં અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું. અતિથિ વિશેષ શ્રી ગોરધનભાઈ સુથાર અને મુખ્ય મહેમાન શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં ગીતાજ્ઞાનની કેમ આવશ્યકતા છે? તે વિષય પર હૃદયસ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યા. કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી કે.એમ.શાહ સાહેબે પણ વિદ્યાર્થીઓને ગીતાસારની ટૂંકમાં પણ અસરકારક વાત રજુ કરી. આમ ગીતા જયંતીની ઉજવણીનો કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x