મોડાસા ના સુપસિદ્ધ શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે શ્રીમદ ગોકુલનાથજી પ્રભુચરણનો ૪૭૪ મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી મંદિર ખાતે શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર માગશર સુદ -૬ ની વહેલી સવારેથી ગોકુલેશપ્રભુ ને ( દાદાજી) ને ઢોલ – નગારા વગાડી ને ઉત્સવની વધામણી કરવામાં આવી હતી.આર્વિભાવ ઉત્સવ ની ઉજવણી પૂર્વે શનિવાર ની રાત્રે મંદિર ખાતે ધન ધન છઠ્ઠ ની રાત સુહાવ ની ઉત્સવમાં વૈષ્ણવ ભાઈ બહેનોએ વિશાળ સમુદાય માં ઉપસ્થિત રહી કીર્તન ગુણગાન તેમજ મનોરથીએ વૈષ્ણવોને કૂલેલ – તિલક કરી પ્રસાદી બાંટી ઉત્સવોને શ્રદ્ધા અનેં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.મંદિર ના પ્રમુખ મનહરભાઈ શેઠ , મુખિયાજી પવનભાઈ શર્મા , મહેન્દ્ર ભાઈ ગાંધી ,રાજુ મામા તેમજ ઉત્સવ કમિટી ના સભ્યોએ જેહમત ઉઠાવી મોડાસા ને ગોકુલમય બનાવ્યું .
