મેઘરજ તાલુકાના રેલલાવાડા ખાતે 6,12થી 7,12 બે દિવસ કૃષિ મહોત્સવ તથા બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે આજુબાજુ ના ગામોના સરપંચ ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કૃષિ રથ મોડો આવતા પ્રાકૃતિક ખેતી જીવામૃત ધનજીવા મૃત વિશે કનુભાઈ કટારા, પાંડોર સાહેબ, બાબુભાઇ એ બાગાયત ખેતી સારો ખોરાક ખાવા વિષે વિગતવાર ચર્ચા કરી હતી. 12 વાગે કૃષિ રથ આવતાં રેલલાવાડા પ્રા. શાળાની બહેનો દ્વારા કળશથી કુમકુમ તિલક કરીને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પી. સી બરંડા જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન તાલુકા પ્રમુખ જયાબેન નિલેશભાઈ કેવલભાઈ શિક્ષક સમિતિ ચેરમેન શાંતાબેન વંદનાબેન મામલતદારશ્રી. સીડી પીઓ જશોદાબેન રમેશભાઈ યોગેશભાઈ ખેતીવાડી આરોગ્ય શાખાનો સ્ટાફ જુદા જુદા સ્ટોલ વગેરે નિહાવી કૃષિ મહોત્સવ વિશે નિષ્ણાંતઓ એ માર્ગદર્શન આપ્યું હતું. સૌ મહેમાનોનું મિલેટ અને ફૂલ છડીથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રાકૃતિક ખેતી કરવા સૌએ ભાર મુક્યો હતો.

-છગનભાઇ પંચાલ