ગુજરાત યોગ બોર્ડ દ્વારા તાજેતરમાં 14 દિવસીય યોગ શિબિર રત્નદીપ બાલમંદિર શાખાના હોલમાં યોજાઈ ગઈ આ શિબિરમાં ભાગ લેનારને સારો એવો લાભ મળેલ હતો આ સ્થળે નિયમિત નિ:શુલ્ક યોગ શિબિર હાલમાં ચાલે છે જેમાં નગરમાંથી ૩૫ થી ૪૦ ની સંખ્યામાં લોકો નિયમિત લાભ લે છે યોગ શિક્ષક તરીકે પ્રો વસંતભાઈ શાહ તથા નિવૃત્ત આચાર્ય ભુપેન્દ્રભાઈ ગોર સુંદર રીતે યોગ આસનો અને કસરતો કરાવે છે ડો હરિભાઈ પટેલનું પણ આરોગ્ય લક્ષી સુંદર માર્ગદર્શન મળી રહે છે અહીંનો શિયાળામાં સારો એવો લાભ લેનાર નીરોગી અને સ્વસ્થ બની રહે છે આ યોગ શિબિરનો લાભ લેવા નગરજનોને આહવાન કરવામા આવે છે.
