અમદાવાદથી મુસાફરો ભરીને નીકળેલી ખાનગી બસનો હરિદ્વારથી અયોધ્યા તરફ જતા આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રોલી સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર ટક્કરમાં 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદાર નગર હવેલીના રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે તથા હાલ આ અકસ્માતમાં કેટલા લોકોનું મોત થયું તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી
