Monday, July 7, 2025
spot_img
HomeNewsતલોદના પુંસરી સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરી સેવાઓ પૂરી પડાઈ

તલોદના પુંસરી સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરી સેવાઓ પૂરી પડાઈ

તલોદ તાલુકાના પુંસરી ખાતે આવેલ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી દ્વારા ચાલતાં રામ રોટી ટિફિન સેવા પુંસરી અને આસપાસના વિસ્તારોમાં 34 જેટલાં લાભાર્થી ઓ ને ટિફિન સેવા પુરી પાડવાની સાથે સાથે આરોગ્યલક્ષી સેવાઓ અને લાભાર્થી કુપોષણ નો ભોગ ન બંને તે ધ્યાનમાં રાખી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ પુંસરી દ્વારા રામ રોટી ટિફિન સેવાના લાભાર્થી ઓ ને દિવાળી ના તહેવારો ને ધ્યાનમાં રાખી દરેક પુરુષ લાભાર્થી ને બ્રાન્ડેડ કપડાં ની એક જોડતેમજ મહીલા લાભાર્થીને સાડી ચણીયો અને બ્લાઉઝ સાથે એક જોડ ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન નરેન્દ્રભાઇ પટેલ ટ્રસ્ટી લીલાબેન પટેલ , મોડાસા કોલેજના કેમ્પસ ડાયરેકટર સંતોષ દેવકર મોડાસા ના અગ્રણી અમીત કવિ , ડો મુકેશ પટેલ સહિત ગામ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x