ભાદરવા સુદ અગિયારસ તારીખ 14/09/2024 શનિવાર ના રોજ મોડાસામાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જલજીલણી એકાદશી ની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગરના કોઠારી સ્વામીજી તથા મોડાસાના નિર્મલ ચરણ સ્વામીજી અને અન્ય સંતો દ્વારા આ એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી

આ ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ નો જલાભિષેક કરવામાં આવ્યો હતો તે માટે બગીચામાં એક કુંડ બનાવવામાં આવ્યો હતો આ કુંડમાં નિર્મલ ચરણદાસ સ્વામીજી તથા કોઠારી સ્વામીજી તથા અન્ય હરિભક્તોએ સાથે મળીને ભગવાન સ્વામિનારાયણ એટલે કે નીલકંઠ ભગવાનની મૂર્તિ નો જળાભિષેક કર્યો હતો ત્યારબાદ અહીં પુરુષો બાળકો અને મહિલાઓએ આ કુંડમા સ્નાન કરીને પવિત્રતાનો અનુભવ કર્યો હતો આવી રીતે દર વર્ષે જલ જીલણી એકાદશી ની ઉજવણી નું આયોજન થાય છે અહીં ઉપસ્થિત હરિભક્તો દ્વારા ખૂબ જ સુંદર કૃત્રિમ પાણીના કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું.