અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ચેરમેન શ્રી યોગ સેવક શીશ પાલ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો.યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાના પ્રમુખ શ્રીઓ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ,યોગ ટ્રેનર,યોગ સાધક, નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી વનિતા બેનપટેલ,જલ્પાબેન ભાવસાર,મોડાસા શહેર ના શ્રેષ્ઠ ડો,હરિભાઈ પટેલ વીસીશાહ,ડો ગોવિંદભાઈ પટેલ, આર એસ એસના મોહનભાઈ પટેલ, જીવદયા પ્રેમી નિલેશ જોષી, તથા સામાજિક સંસ્થાના વરિષ્ઠ આગેવાનો, ઝોન કો. કોડીનેટર પિકીબેન મેકવાન,સોશ્યલ મિડીયા કોઓર્ડીનેટર,ઝોન ઇન્સ્પેકશન કો ઓર્ડીનેટર ઉમગભાઈ સુતરીયા,અરવલ્લી જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્ર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જણાવ્યું કે અરવલ્લીમાં દરેક વ્યક્તિ સુધી આ યોગ પહોચાડવાનું કાર્ય કરવાનું છે આગામી દિવસોમાં યોગ સંકુલ ઊભી થશે તેવી હૈયાધારણ તેઓએ આપી છે
