અરવલ્લી જિલ્લા ના મોડાસા ના બાયલ ગામે શ્રી પંચદેવ મંદિર ખાતે ભાદરવા સુદ નોમ ને તારીખ – ૧૨/૦૯/૨૦૨૪ ગુરૂવાર ના રોજ પરંપરાગત રીતે ભગવાન શ્રી રામદેવજી મહારાજ નો ભવ્ય નેજા ઉત્સવ યોજાયો હતો. અને સાથે મંદિર ના આદ્યસ્થાપક સદ્દગુરૂ મહંત શિરોમણી ચંદ્રવદન વ્યાસ સાહેબ ની સાતમી માસિક પુણ્યતિથિ નો સુંદરયોગ હતો. જે અંતર્ગત વહેલી સવારે થી જ ગુરૂગાદી ના શિષ્યગણ સમુદાય ઉત્સવ નો લ્હાવો લેવા ઉમટી પડ્યા હતા. દિવસ ની શુભ શરૂઆત મહેશભાઈ વ્યાસ ને હસ્તે સદગુરુ વંદના, જ્યોત પ્રાગટ્ય, નેજા/ધ્વજા પૂજા, અને કાર્યક્રમ ના અંતે ફલાહાર નું સફળ આયોજન થયું હતું.
