Monday, June 9, 2025
spot_img
HomeGujaratસુરતમાં ગણેશ પંડાલ પર થયો પથ્થરમારો, પોલીસ આવી એકશનમાં

સુરતમાં ગણેશ પંડાલ પર થયો પથ્થરમારો, પોલીસ આવી એકશનમાં

સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે વરિયાવી ચા રાજાના પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો.. રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ સગીરોએ બાપ્પાની મુર્તિ પર પથ્થરમારો કર્યો.મોડીરાત્રે પોલીસે સ્થિતિને કાબુમાં લઈ આજે 28 લોકોની ધરપકડ કરી લીધી છે..

હાલ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.સૈયદપુરાની ગેરકાયદે મિલકતો પર ફેરવાયું બુલડોઝર તો આ ઘટના બાદ આજે સૈયદપુરાની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

રાત્રે નવ વાગ્યા આસપાસનો સમય થયો હતો. ત્યારે એવી માહિતી હતી કે અમુક લોકો રિક્ષામાં આવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ભાગી જશે પોલીસે પહેલેથી આ સંવેદનશીલ વિસ્તારમાં વોચ રાખી હતી, જેમાં ડી-સ્ટાફ હાજર હતો. મેસેજ મળતા જ આજુબાજુના વિસ્તારની પોલીસ ઉતારી દેવામાં આવી હતી. એસઓજી પોલીસ દોડી ગઈ હતી. જે રિક્ષા લઈને આવ્યા હતા એને પણ તરત જ રિક્ષા સાથે પકડી લેવાયા હતા.

જે લોકો ઘરમાં ઘૂસીને ધાબા પરથી પથ્થર મારતા હતા તેવા લોકોને પણ પકડ્યા. અનેક લોકો નીચેથી દરવાજો બંધ કરી ઘરમાં છુપાઈને પથ્થરમારો કરતા હતા. અમુકે ઘરને તાળાં મારી સાંકળ ફિટ કરી દીધી હતી.

આવા લોકોના ઘરનાં તાળાં તોડી તેમજ અમુક જગ્યાએ બારણાં પણ તોડી લોકોને પકડી પકડીને પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા હતા. ઘરમાં ઘૂસ ઘૂસીને આરોપીને પકડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x