શિક્ષક થી રાષ્ટ્રપતિ એટલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
જાયન્ટ્સ મોડાસા દ્વારા શ્રી સરસ્વતી બાલ મંદિર મોડાસા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મ 5 સપ્ટેમ્બર ના રોજ થયેલ તેઓ એક આદર્શ શિક્ષક હતા તેમને શિક્ષક પ્રત્યે ખૂબ જ ગૌરવ હતું તેના માનમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ભારત ના રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ના એવોર્ડ થી શિક્ષકો ને સન્માનવામાં આવે છે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણ શિક્ષક થી ભારતના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચેલા ભારતમાં શિક્ષકને ગુરુ માનવામાં આવ્યું છે શિક્ષક એટલે ગુરુ ભારતમાં અનેક મહાન જ્ઞાની થઈ ગયા સમાજને સાચો માર્ગ બતાવવા માં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન હોય છે
જાયન્ટ્સ મોડાસા પરિવાર દ્વારા શ્રી સરસ્વતી બાલ મંદિરના શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે બાળકોમાંથી જ આજે આચાર્ય અને વિવિધ વિષય પર શિક્ષકો ની ટીમ બની શાળામાં દરેક વર્ગમાં જઈ શિક્ષણ આપ્યું હતું છેલ્લે તેમના આજના અનુભવ અન્ય બાળકો દ્વારા શિક્ષક દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું આજના દિવસે બનેલ શિક્ષકો ને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન-1ના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર દ્વારા દરેક શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે શાળાના મંડળના ઉપપ્રમુખ નાનાલાલ પ્રજાપતિ શાળાના આચાર્ય વિશાલભાઈ પંડ્યા આજના દિવસે બનેલ શિક્ષકો શાળા શિક્ષક સ્ટાફ જાયન્ટ્સ પરિવારના કલ્પેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહી આજના શિક્ષક બાળકોને સન્માનિત કર્યા હતા
